શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા "" | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2023 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa
ful-kajali-vrat-katha-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ફૂલકાજલી વ્રત
નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ
ફૂલકાજલી વ્રત
આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે. કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે. આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. તે દિવસે ગુલાબનું ફૂલ સૂંઘવામાં આવે છે.
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે. તે દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઊઠી, નાહી-ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જાય છે અને શિવ-પાર્વતીનું પૂજન કરે છે. આખો દિવસે નકોરડો ઉપવાસ કરે છે જ્યારે તેને પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંઘીને જ પાણી પીએ છે ! તે દિવસે આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરવું. વ્રત કથાઓ
શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે
જ્યારે દિવસ આથમે એટલે કે ગોરજટાણે ગાયો ઘરે આવે ત્યારે ગાયનું પૂજન કરવામાં આવે છે. પછી જ ફળાહાર કરવામાં આવે છે. ફળાહાર કરતાં પહેલાં પણ ફૂલ સૂંઘે છે.
આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવું. તે રાત્રે મહાદેવજીનાં ભજન-ગીતો ગાવાં. શિવ-મહિમાના ગ્રંથો વાંચવા. આ વ્રત પાંચ, સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે. પછી તેના ઉજવણામાં વ્રત કરતી પાંચ કન્યાઓને બોલાવી કપાળમાં કકું-ચાંદલો કરવો. પછી તેને ફળાહાર કરાવવો. ફળાહાર બાદ તેમને એક વાટકો, કોઈ પણ એક ફળ, એક ફૂલ, એક ચાંદલાનું પેકેટ અને દક્ષિણા મૂકી પાંચે કન્યાઓને તે વાટકો ભેટમાં આપવો.
આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હરકોઈ કન્યાની મનોકામના શંકર-પાર્વતી પૂરી કરે છે.
શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ નો આવો થાય છે