આવો સત્સંગ માઁ: માર્ચ 2022

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 21 to 25 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના  21 થી  25 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 21 to 25 Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

anand-no-garbo-meaning-21-to-25-Gujarati
anand-no-garbo-meaning-21-to-25-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 21 થી 25 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.

ૐ હ્રીં ક્લીમ્ બહુચર માતાયે નમઃ

ૐ શ્રી બહુચર માતાયે નમઃ  

પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો મા
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો મા  || ૨૧ ||

જય શ્રી બહુચર માં   માડી પંચ મહાભૂતોમાથી સવૅ શક્તિ ઓ પ્રગટ થઈ જે પાંચ તત્વો , પાંચ ઇંદ્રિયોને પાંચ જ્ઞાને થયો તે સિવાય , મન ,રૂપ , ગંધ , અહંકાર, રસ, શબ્દ , સ્પશૅ , મહત્વ, માયા તથા ઈશ્વર વગેરે આ દરેકમાં જે કાંઈ કરવાની શક્તિ છે. તે માં તારા આધિન છે. માં તારી શક્તિ સંયોગથી કાયૅ માં તલ્લીન થવાય છે... || ૨૧ ||


માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી મા
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. || ૨૨ ||

જય શ્રી બહુચર માં   માડી દરેક પ્રમાણસર જગતનું મંડાણ આપના પ્રતાપથી જ થયેલ છે. જડ પ્રાણીઓની અંદર આપ બિરાજમાન છો. જગતની સવૅ શક્તિઓનુ ઉદભવ સ્થાન આપ છો.... || ૨૨ ||



 

જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન મા
બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન મા  || ૨૩ ||

જય શ્રી બહુચર માં   માડી પ્રલયકાર સમયે જળશાયી શેષ શય્યા પર નારાયણ ભગવાન મૂળ પ્રકૃતિમય પોઢેલ હતાં. તે સમયે અંતરિક્ષમાં તેમનાં શરીર ને ખોળામાં રાખી નિરાધાર ના આધાર બની રક્ષણ કર્યું હતું આમ શક્તિ મહાત્મ્ય આભાર માનતું વણૅન કરવામાં આવ્યું છે... || ૨૩ ||


 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો મા
ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા  || ૨૪ ||

જય શ્રી બહુચર માં  માડી વિશાળ આકાશમાં સુંદર રચાનાત્મક અનેક બ્રાહ્મંડનો ઠાઠ મુક્યો છે. પરંતુ દરેકમાં સરખો ધાટ હોય તેવું દેખાવા રૂપ જ છે. આપની તેજ શક્તિથી તે ઠાઠમાઠ દેખાય છે. તે બધા કાચા કાચ જેવા ક્ષણિક છે. આ શરીરરૂપ કાચ ધણોજ કાચો બનાવ્યો છે.... || ૨૪ ||



અજ રજ ગુણ અવતાર, આકારે આણી મા
નિર્મિત હત નર્નાર, નખ શિખ નારાયણી મા || ૨૫ ||

જય શ્રી બહુચર માં  માડી જગતની સૃષ્ટિ ફળદાયક શક્તિઓ ગુણ સમૂહ સ્વરૂપે જીવન આકારે નિમૉણ કરેલો છે. પગથી માથા સુધી શ્રોતા અને ભોક્તા શરીર તરીકે આપ જ નારાયણી વસેલાં છો.... || ૨૫ ||

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 16 to 20 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16  થી  20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 16 to 20 Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

anand-no-garbo-meaning-16-to-20-Gujarati
anand-no-garbo-meaning-16-to-20-Gujarati
  

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  ગુજરાતી લખાણ સાથે 


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 16 થી 20 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.

ૐ શ્રી બહુચર માતાયે નમઃ

ૐ હ્રીં ક્લીમ્ બહુચર માં નમઃ 

 

શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા  || ૧૬ ||

જય શ્રી બહુચર માં  માડી આપ વિશ્વજનની એ સૃષ્ટિ રચવાની સહજ સ્વભાવે અલ્પ વિચારણા કરી જેથી જરા જેટલી દયા દ્રષ્ટિ ની કરૂણા શક્તિ વડે કોટી કલ્પ ની રચના રચાઈ. કદાચિત્ત બ્રાહ્મા જેવા આપ શક્તિ પ્રભા વિના સૃષ્ટિ રચવા ઉધમ આદરતા તોપણ કશું બની શકત જ નહીં કેમકે એ તો આપની પ્રભાવશક્તિ માં જ સત્તા સમાયેલી છે... || ૧૬ ||



 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

માતંગી મન મુક્ત, રમવા કીધું મન માં
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન માં. || ૧૭ ||

જય શ્રી બહુચર માં  માડી આપ માતની વિચાર સૃષ્ટિની ઈચ્છા શક્તિએ મુક્ત સૃષ્ટિ સરજનરૂપે રમત રમવાનું વિચાર્યું. સાચું શું ખોટું શું , ધમૅ શું? તેનો જગત ને પરિચય આપવા માટે સાત સ્વર્ગ અને સાત પાતાળનું સજૅન કયું. ભૂ , ભુવઃ ,  સવ: , મહ, જન, તપ, સત્ય, અતળ , વિતળ , સુતળ, રસાતળ , તળાતળ , મહાતળ, અને પાતાળ આ પ્રમાણે ચૌદ લોક સર્જ્યા છે... || ૧૭ ||

 

નીર ગગન ભૂ તેજ, હેત કરી નિર્મ્યા મા
માત વશ જે છે જ, ભાંડ કરી ભર્મ્યા મા  || ૧૮ ||

જય શ્રી બહુચર માં   માડી તેમાં આપે સવૅથી પ્રથમ સકળ વસ્તુને ગતિ આપનાર કિંવા મર્યાદા માં રાખનાર પંચતત્વ એટલે કે પૃથ્વી , પાણી , આકાશ ,તેજ અને વાયુઓનું સ્વાભાવિક સ્નેહસહ નિર્માણ કર્યું અને વશ જે છે જ એટલે કે વસ્તુ સ્વરૂપે જે જે છે તે બ્રાહ્માડ કરી ભ્રમણ કરતાં કર્યું કેમકે એઓની સતા વિના કોઈ યંત્ર મંત્ર તંત્ર પ્રાણી પદાથૅ વગેરેનું અસ્તિત્વ સંચાલન કાયૅક્રમ નીભીજ શકતા નથી... || ૧૮ ||


 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ



તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા
ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા || ૧૯ ||

જય શ્રી બહુચર માં   માડી પંચતત્વાદિ નિમ્યૉ પછી આપ શ્રીમતિયે પોતાના દેહ મારફતે ત્રણ્ય શરીરની ત્રિપુટી માયારૂપ સજૅનહાર , પાલનહાર અને નિયમ ભંગ કરનારનો નાશ કરનાર એમ સ્તિતિ પાલન અને લયકારક સંસારલીલા રચી એટલે કે બ્રાહ્મા , વિષ્ણુ અને શિવના અંશાવતાર કરી જગતના નિયમો જીવન આપ્યું... || ૧૯ ||



પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક મા
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા. || ૨૦ ||

જય શ્રી બહુચર માં   માડી તેમાં આપે સવૅથી પ્રથમ બ્રાહ્માને વાણી શક્તિ દ્વારા ચાર વેદના ઉચ્ચાર કરવાની પ્રેરણા કરી એટલે કે ઋગ્વેદ , યજુર્વેદ , સામવેદ , અને અથૅવવેદ એમ આપ ઈશ્વરી પ્રણીત વેદ વચનના વ્યવહારમાં મૂક્યાં અને તે દ્વારા સમસ્ત ધમૅ ફરજના ભેદ વિભાગ એટલે કે વિધાનો તથા કળાઓ એટલે કે પુરુષ ની ૭૨ અને સ્ત્રી ની ૬૪ કળાઓ છે તે તથા સારાસાર , કૃત્યાકૃત્ય , ગમ્યાગમ્ય , યોગ્યાયોગ્ય , ભૂક્ષ્યાભક્ષ્ય , પેયાપેપ, વગેરે સવૅ જણાવી માનવોને વિધિ નિષેધાદિ લાયક ધમૅ કમૅ મમૅ સિદ્ધાંતો  ભણાવવાઅનો કમ દશૉવ્યો... || ૨૦ ||

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 6 to 10 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના  6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 6 to 10 Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Anand-No-Garbo-Meaning-6-to-10-Gujarati
Anand-No-Garbo-Meaning-6-to-10-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  ગુજરાતી લખાણ સાથે .   


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 6 
થી 10 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.

ૐ શ્રી બહુચર માતાયે નમઃ

ૐ હ્રીં ક્લીમ્ બહુચર માતાયે નમઃ 


 

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા
મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા  || ૬  ||

જય શ્રી બહુચર માં માંડી લજ્જા, પાત્રતા , ચારીર્ત્ર્ય વગેરે કમૅ વગરનો અને અકમૅથી ભરેલો તેમજ મહામૂર્ખ છું કે મારી સાથે કોઈ બરોબરી કરી શકે તેવો કોઈ જ નથી. એવો છતાં પણ હું ભક્તિ રસ તારા ગુણ ગાવા પ્રેરાયો છું. તે મારૂં ગાંડાપણ છે. મારામાં દોષનો ઢગલો હોવા છતાં કાવ્યનું કથન કરવા તૈયાર છું|| ૬  ||

 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા
કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા.  || ૭ ||

જય શ્રી બહુચર માં માંડી મૂઢ એવો હું મનની અંદર ગણી લીધૂ કે માની ઉત્પત્તિ નું વણૅન કરી શકીશ. પરંતુ તે નકામું છે. કારણકે બ્રાહ્મડમાં વ્યાપ્ત થઈને તમારી ઉત્પત્તિ કોઈજ જાણી શક્યું નથી. આપ માંડી સકળ વિશ્વ માં અણું માં વ્યાપી રહ્યા છે. કહેવામાં નથી જોવામાં નથી કે અનુભવવા માં નથી તે વસ્તુ ના સ્વરૂપ વિષે લખવું તે અકલ્પ વિષય છે. છતાં હે માડી તેવું કહેવાની ઈચ્છા કરી તે મારી મૂખૅતા છે|| ૭ ||

 

પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા
પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા  || ૮ ||

જય શ્રી બહુચર માં  માંડી તમો પ્રૌઢ , ઉગ્ર  અને પ્રબળ શક્તિમાન છો. તમારૂં પરાક્રમ પૂર્ણ સંપન્ન છે તેથી હું થોડુંપણ જાણી શકૂ તેમ નથી. કારણકે આપનું પરાક્રમ સંમૂતૅ છે.આપ પણ પૂર્ણ પ્રગટ અને અંખડ છો. એટલે કે જગજાહેર છો. તેવો હું આપને અજ્ઞાનના પ્રતાપે આપને પામવાની ઈચ્છા કરૂં છું. તેમ મારી અપૂર્ણતા છે|| ૮ ||
 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા
પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા.  || ૯ ||

જય શ્રી બહુચર માં  માડી સાગર નું સવૅ પાણી એક નાહવાના પાત્રમાં ભરીને શકાય નહીં છતાં પણ પ્રયત્ન કરૂં છું. અને તેમ થઈ શકે નહીં. અથૉત મહાસાગર જેટલા તમારા ગુણો હું નાનકડા મનરૂપી પાત્રમાં ભરવા માગું છું. સાગરરૂપ માંડીને ચાર તોલા જેટલા પણ મેળવી શકતો નથી. તે મનથી જાણૂ છું અને અનુભવ્યું છે|| ૯ ||


 
રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા
ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા  || ૧૦ ||

જય શ્રી બહુચર માં   માડી હજાર જીભોવાળો શેષનાગ આપનાં ગુણગાન ગાતા હારી ગયો. કારણકે તે માડી તારી શક્તિ જાણતો નહતો આપ મહાદેવજી માં પાવૅતી સ્વરૂપે વસેલાં હોવાથી શક્તિ ના યોગ બળવડે ત્રણલોકને  ધુજાવનાર અને હણનાર કહો છો. પણ તે કામદેવને આપે શક્તિ ના નેત્ર તેજથી બાળી ભસ્મભૂત કરી નાખ્યો. હે માં મારી બુદ્ધિ ઓછી છે. છતાં આપની દયા શક્તિથી કંઈક વધારે ગુણ ગાઇ શકીશ. તેવી આશા રાખું છું|| ૧૦ ||


વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 1 to 5 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 1 to 5 | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Anand-No-Garbo-Meaning-1-to-5-Gujarati
Anand-No-Garbo-Meaning-1-to-5-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 1 થી 5 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.


ૐ શ્રી બહુચર માતાને નમઃ

ૐ હ્રીં ક્લીમ્ બહુચર માતાયે નમઃ 

 


આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા

ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા  || ૧ ||


શ્રી બહુચર માં આપે મને અનાયાસે પરિશ્રમ વગર સન્મુખ દશૅન આપી મારૂં જીવન ધન્ય બનાવ્યું. તેથી મારા મનની અંદર ધણોજ આનંદ થયો છે. કેમકે હું અભણ હોવા છતાં આપે મારી જીભના અગ્રેસર ભાગે બિરાજીને કાવ્ય શક્તિ આપી અને આનંદનો ગરબો ગાવાની પ્રેરણા કરી " માં " તારાં ગુણગાન ગરબા છંદ ગાવાથી હું ધણોજ આનંદિત થયો છું || ૧ ||

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા

છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા  || ૨  ||


શ્રી બહુચર માં આમ ભક્તની ઈચ્છાના પાલક હોવાથી તેના મનની આશાઓ પૂર્ણ કરે છે.આપનો ભક્ત આળપંપાળ લવારા જેવી વિનંતી મનમાં દ્વઠમનોબળ અને શ્રાધ્ધપૂવૅક ઈચ્છા રાખીને પ્રાથના પૂર્ણ માંગણી કરે છે. હે માડી મને સદાકાળ સજીવન રહેનારી મધુર વાણી આપો.જે વાણી વાચકોને આનંદ આપે || ૨  ||


સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા.  || ૩ ||


શ્રી બહુચર માં આપ સ્વગૅલોક, મુત્યુલોક અને પાતાળલોક આ ત્રણેય લોકમાં રહેતા દરેક ચરાચર પ્રાણી પ્રદાથૅ અણું અણું માં તારો નિવાસ છે. જ્યાં તારો નિવાસ હોય તે પ્રાણી પ્રદાથૅ અંદર તાકાત છે. આપ સવૅશક્તિમાન છો. તેથી હે માં તારા બાળને તારા ગુણ ગાવાની અને નવજીવન અદભુત આપી છે. મને તારો દાસ ગણી મારો હાથ પકડી પાતાળ, મુત્યુલોક અને સ્વગૅલોક ઉલંધી મોક્ષ પ્રાપ્તિ થાય તેવી આજીજી કરૂં છું|| ૩ ||

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  


તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા

અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા  || ૪  ||


જય શ્રી બહુચર માં હું અજ્ઞાની હોવાથી અથૅ વગર અને સંગીત વિહિન શબ્દોથી જે ઉચ્ચાર કરૂં છું. તોપણ આપણે તે શબ્દને હ્રદયપૂણૅ માની મનેચ્છા પૂર્ણ કરો છો. માની સમક્ષ બાળક તોતળાતી ભાષા બોલે તો પણ બાળકની અન્ન માગે છે. તે સમજી તેની મનેચ્છા પુરી કરે છે. કથનુ મૂળ છે કે સ્તુતિ કરવાની ઈચ્છા હંમેશા લક્ષમાં રાખીને કરો તો ઈચ્છા માં સદા પુરી કરે છે|| ૪  || 


નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા

કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા  || ૫  ||


જય શ્રી બહુચર માં માંડી કવિઓમાં હું જ કાંઈ છું એટલેકે મને ખોટો ગવૅ છે.અને આવા અભિમાન થી સ્તુતિ કાવ્ય કરવા આગળ જાઉં છું તે મારી મોટી ભુલ છે. ઊંધું કએ સીધું અવળું કે સવળું વાક્ય સાચું છે કે ખોટું તે પણ હું જાણતો નથી. છતાં કવિ ગણાવવાની ખાતર આ કાવ્ય કહેતા ઉતાવળો થયો છું. તે ખરેખર ભુલ ભરેલુ છે. ભક્તનું કહેવું છે કે કઈ કવિતા અલંકાર યુક્ત સુંદર છે. નિરસ છે કે રસરંજન છે. કણૅપ્રિય છે વાક્યો છે કે અથૅ વગરના છે. ધમૅના અથૅ વગેરે પણ વિચારી શકતો નથી. અને કવિનું હું પદ લેવા નિકળ્યો છું તે મારી ભૂલ છે કે માટે મારામાં દોષનો એક ભાગ છુપાયેલો છે || ૫  ||

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે .


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...