હનુમાન બીસા જપ વિધિ પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Bisa Jap Vidhi | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa
Hanuman-Bisa-Pujan-Rit-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાન બીસા જપ વિધિ પઠન 🙏 મળશે 100% ફળ
ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર
ૐ નમો હનુમંતે નમઃ
હનુમાન બીસા જપ વિધિ
શ્રી હનુમંત વિસાની જવિવિધ અત્યંત સરળ છે, પરંતુ સાવચેતીપૂર્વક વિધિવિધાનથી તેનો ઉપયોગ કરવો.
નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ
સૌ પ્રથમ કોઈ મગંળવાર કે શનિવારે શ્રી હનુમંત વિસા યંત્ર બનાવી એક ફ્રેમમાં મઢાવી લેવું પછી શુદ્ધ સ્થાન ઉપર એક બાજોઠ ઉપર લાલ કપડું પાથરી એના પર વિસા યંત્ર સ્થાપિત કરવું. પછી રામચંદ્ર અને સીતા માતાની છબી મૂકી તેનું પંચોપચારથી પૂજન કરવું. ત્યાર પછી સવાપાશેર ઘઉંનો લોટ, બે લાડુ, પતાકા, લંગોટ, જનોઈ, ખડાઉ, એક નાળિયેર (જટાવાળું) સિંદૂર, ચમેલીનું તેલ, તથા સવા રૂપિયો કોઈ પણ હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીને અર્પણ કરવો.
શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે
ત્યારબાદ ઘરે આવી વિસા યંત્રનું પંચોપચારથી પૂજન કરવું. પૂજન વખતે હનુમાન વિસા મંત્રનો લગાતાર જાપ કરવો. આ ઉપાસના ઉત્તર તરફ મુખ રાખી તથા લાલ કામળાના આસન ઉપર બેસી કરવી. સાધના કાળમાં પુર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. લયપૂર્વક શ્રી હનુમંત વિસાયંત્રનો સસ્વર પાઠ આરંભ કરવો. પાઠ પૂર્ણ થયા પછી હનુમંત વિસાના અગિયાર પાઠ કરવા, પાઠ પુર્ણ થયે ત્યાં જ સૂઈ જવું. આ રીતે આ ક્રિયા ૨૦ દિવસ સુધી નિરંતર કરવી. એકવીસમા દિવસે હવન કરી હનુમંત વિસા યંત્રનો પાઠ કરી ૨૧ આહુતિઓ આપવી. ૨૧ બ્રાહ્મનોને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી તથા અખંડ રામાયણનો પાઠ કરવો. આ રીતે વિધિપૂર્વ અનુદાન કરવાથી સાધકના સમસ્ત સંકટોનું નિવારણ થઈ જાય છે. આ એક સિધ્ધ અનુભુત સફળ પ્રયોગ છે.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ નો આવો થાય છે