મહાદેવ ના મૃત્યુમ્ જય મંત્ર કેટલા? ક્યાં ક્યાં છે ? એનો અથૅ શું છે | mrityunjaya mantra meaning in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa
mrityunjaya-mantra-meaning-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે આ ભક્તિ લેખ માં જાણીશું મહાદેવ ના મૃત્યુમ્ જય મંત્ર કેટલા? ક્યાં ક્યાં છે ? એનો અથૅ શું છે તે બધું આપણે આ ભક્તિ લેખ માં જાણીશું.
માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે
મહાદેવ એ સોમવાર તથા પ્રદોષ તિથિ ના અધિપતિ દેવ છે. સોમવાર વાર ના દિવસે મહાદેવ શિવલિંગ સ્વરૂપ નું પુજન તથા પ્રદોષ તિથિ ના દિવસે સૂયૉસ્ત ના એક કલાક પહેલા તથા એક કલાક પછી શિવલિંગ નું પુજન કરવામાં આવે છે જેથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે. હવે આપણે જાણીશું મૃત્યુમ્ જય મંત્ર 2 છે આ મંત્રથી ભગવાન રુદ્રની આરાધના કરવામાં આવે છે. આ મંત્ર સંજીવન છે; મોક્ષદાયક છે; અને દીર્ઘાયુષ્ય, ઐશ્વર્ય, પુષ્ટિ-સૃષ્ટિ અને મોક્ષ આપે છે હવે આપણે જાણીએ તે મંત્ર અને તેનો અથૅ.
શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે
મહામૃત્યુંજય પ્રથમ મંત્ર
ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ॥૧॥
ગુજરાતી અથૅ:-
જીવન માત્રના કલ્યાણકારી, યશસ્વી, મંગળ, મહિમાવંત, પ્રાણબળની પુષ્ટિઓમાં ભરપૂર વૃદ્ધિ આણનાર-ભગવાન ત્રિલોચનને અમે આરાધીએ છીએ. જેવી રીતે ચીભડાને (પાકું થતાં) તેના (વેલા સાથેના) બંધનમાંથી મુક્ત કરવામાં આવે છે. તેવી રીતે હે ભગવાન ત્ર્યંબક ! અમને અમરત્વની પ્રાપ્તિ માટે મૃત્યુમાંથી મુક્ત કરો !
ૐ મૃત્યુંજય મહાદેવ, ત્રાહિમામ્ શરણાગતમ્ ।
જન્મ મૃત્યુ જરા વ્યાધિ, સંસાર ભય નાશનમ્ ॥૨॥
ગુજરાતી અથૅ:-
હે મૃત્યુને જીતનારા મહાદેવ, આપને શરણે આવેલા અને જન્મ, મૃત્યુ વૃદ્ધાવસ્થા તથા રોગોથી પીડાયેલા એવા અમને સાંસારિક બંધનોમાંથી મુક્ત કરી અમારી રક્ષા કરો.
હું આશા રાખું છું આ લેખ ની માહિતી આપને પસંદ આવી હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ માં ત્યાં સુધી સૌને ને મારા જય શ્રી કૃષ્ણ.
ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.