શ્રાવણ સોમવાર ની વ્રત કથા "" ભાખરીયો સોમવાર ની કથા "" | bhakhariyo somvar Vrat Katha Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa
bhakhariyo-somvar-vrat-katha-gujarati
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભાખરિયો સોમવાર
નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ
આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે ત્રણ, પાંચ કે સાત એમ બીલીપત્ર ચડાવવાનાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી. તે દિવસે મહાદેવજીને ભાખરીનું નૈવેધ ધરાવવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે.
ભાખરીયા સોમવાર ની વ્રત કથા ગુજરાતીમાં
એક ગામ હતું. એ ગામમાં રામશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને મંગલાગૌરી નામની પત્ની હતી.રામશર્મા બ્રાહ્મણ ઘણો દયાળુ, વિદ્વાન અને પરોપકારી હતો. તેની પત્ની પણ સુશીલ અને સદાચારી હતી. તે પોતાના પતિની ખૂબ જ સેવા કરતી. પતિ જે કાંઈ ભિક્ષા માગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી. તેઓ હંમેશાં એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા. ઘણીવાર તો આ બંને પતિ-પત્નીને ભૂખ્યાં રહેવું પડતું. બંને જણાં પોતાની
ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર
દરિદ્રતાથી ખૂબ જ કંટાળી ગયાં હતાં, પણ કરવું શું ? એક દિવસની વાત છે. એ દિવસે બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહિ, એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયાં કે - આજે ખાવું શું ? અને ભૂખ્યા માણસને ખવડાવવું શું ? આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું. બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી. થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા.
બ્રાહ્મણ થોડો ખચવાયો. તેની પાસે આપવા જેવું કાંઈ હતું નહિ, એ બિચારો શું આપે ? એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરતાં-કરતાં તેની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં. એટલે પેલા સંન્યાસીએ તેને આશ્વાસન આપતાં કહ્યું : “તું ઉપાધિઓથી નિરાશ થઈશ નિહ. તારું દુઃખનું કારણ તારા ગયા ભવનાં કર્મો છે. તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર, જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ. ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે. પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા, ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી.’’
હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે
“મહારાજ ! આ વ્રત કઈ રીતે થાય તે મને કહો.’’ સંન્યાસી બોલ્યા : “હે બ્રાહ્મણ ! આ વ્રત શ્રાવણ માસના
પહેલા સોમવારથી શરૂ કરવું અને સાડા ત્રણ માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરવું. દરેક સોમવારે વહેલા ઊઠી નાહી-ધોઈ મહાદેવજીનો દીવો કરવો. પછી મહાદેવજીના મંદિરે
શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ નો આવો થાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.